તમે ભૂતમાં માનો છો? કે તમે ભગવાનમાં માનો છો?
તમે ભૂતમાં માનો છો ? તમે ભગવાનમાં માનો છો? તમે ભૂતમાં માનો છો ? તમે ઈશ્વર કે ભગવાનમાં માનો છો ? આ બધા જ સવાલોમાં આપણને રસ પડે છે . કારણ કે એક એવી સૃષ્ટિની વાત છે કે જેને સાબિત નથી કરી શકાતી . આપણને અગોચરમાં વધારે રસ પડે છે , કારણ એક રહસ્ય એની પાછળ છુપાયેલું હોય છે . એ રહસ્યમાં આપણને રસ પડે છે . ભગવાનમાં માનતો હોય કે ન માનતો હોય એ વ્યક્તિની હકિકતે તો રહસ્યમાં રસ પડતો હોય છે . એટલે જ જ્યારે કોઈ કહે કે હું ભગવાનમાં માનું છું કે મેં ભૂત જોયું છે એટલે તરત જ સામે સવાલો ઉઠે અચ્છા ! સાબિત કરો . કેટલીક બાબતો એવી હોય છે કે જેને એક વત્તા એક બરાબર બે ની જેમ સાબિત કરી શકાતી નથી . જો એ રીતે ભગવાનનું અસ્તિત્વ સાબિત કરી શકાતું હોત તો પછી વિજ્ઞાને એના ઉપર અનેક સ્તરે કામ કર્યું જ હોત . તે છતાં તમને આપણને અનેક ડોક્ટર કે વિજ્ઞાનીઓ પણ ભગવાનમાં માનતા જોવા મળે જ છે . એનો અર્થ શું થયો ? ચંદ્ર પર યાન મોકલાવ્યું કે મંગળ પર ...