­
­

અલગારી માણસ ની 33 વાર્તાઓ 10-2-15

બે અઠવાડિયા પહેલાં શિયાળાની એક સુસ્ત રવિવારની સવારે પાર્લામાં સ્વર્ગિય પવનકુમાર જૈનનું પુસ્તક 33 વાર્તાઓનું વિમોચન થયું. ફક્ત ને ફક્ત પવનકુમાર જૈનને ઓળખતા મિત્રો અને તેમના પરિવારજનોની હાજરીમાં. તેમની વાર્તાઓની ગણતરી જેટલા લોકો પણ માંડ હશે. તે છતાં વાતાવરણ પવનકુમાર જૈનના જીવન જેવું સભર હતું. પુસ્તક ખોલતાં જ આપણા પ્રસિધ્ધ સાહિત્યકાર ધીરુબહેન પટેલની પ્રસ્તાવનાનું પહેલું વાક્ય નજરે પડે. એ એક અલગારી માણસ.... અલગારી...

Continue Reading

એ ભાઈ જરા દેખ કે ચલ..... 11-2-15

અરવિંદ કેજરીવાલ અને આપ દ્વારા આવેલુું આ પહેલું એવું સુનામી હશે કે જેના આવવાથી લોકો ખુશ હશે.... સુનામી બધું જ સાફ કરી નાખે.... પછી નવેસરથી જીવન શરૂ કરવું પડે. આટલી બાબત અરવિંદ કેજરીવાલ અને તેના સાથીંઓ  ન સમજતા હોય એવું માનવાનું મન નથી થતું. પણ એક વાત જરૂર દેખાય છે કે લોકો જીવનની હાડમારીથી એટલા કંટાળી ગયા છે કે તેમને દિવાસ્વપનોમાં રાચવું ગમે...

Continue Reading

ગુજરાતી પુરુષ એટલે વળી શું ? 3-2-15

આ લેખ વાંચો તે પહેલાં  25 વરસ અગાઉ બનેલી એક સાચી વાત કહું. લગ્ન માટે મારે એક બહેને બતાવેલ છોકરો જોવા જવાનું થયું. એકબીજાને જાણવા સવાલ જવાબ થતા હતા. મેં સવાલ પૂછ્યો કે વાંચવાનો શોખ ખરો ?  તો પેલા ભાઈ કહે હા... મને નવાઈ લાગી કારણ કે ઘરમાં કોઈ પુસ્તકોના કબાટ નહોતા જણાતા. એટલે પુછ્યું કે અચ્છા, શું વાંચવું ગમે... ? તો કહે...

Continue Reading

આર્ટિસ્ટને પણ જાતિય ભેદભાવ નડે. બત્રીસ પુતળીની વાર્તા -3

જાન્યુઆરીમાં  કોલકાતા અને શાંતિનિકેતન ગઈ.  સ્ત્રીઓની સ્થિતિ દરેક જગ્યાએ સરખી જ હોવાની. ગુરુદેવ ટાગોર ધ્વારા સ્થાપિત શાંતિનિકેતનના શાંત અને રળિયામણા વાતાવરણમાં કલાનો અભ્યાસ કરતી પલ્લવીની વાત કરવી છે. મૂળ કોલકાતાની 20 વર્ષિય પલ્લવીની આંખો બોલકી છે એટલી જ તે પોતે ય બોલકી છે. તે મનમાં શું વિચારે છે તે જાણવા મારે એપની સ્વીચ ઓન ન કરવી પડી . તે ખૂબ સહજતાથી  સ્ત્રી તરીકેનો...

Continue Reading