મૂંગી ફિલ્મોના એન્સાઈક્લોપિડિયા વીરચંદ ધરમશી

21:59





 



                

                                     



ભીને વાન, ઊંચા, પાતળા, ખુલતું શર્ટ જે ક્યારેય પણ ઈન્સર્ટ હોય, ખુલતું પેન્ટ, ઊભા હોય તો ખભે થેલો જેમાં પુસ્તકો હોય અને હાથમાં પણ પુસ્તક હોય. કાળી ફ્રેમનાં ચશ્માં, સીધા ઓળેલા વાળ. તેમને મળવું હોય તો એશિયાટિક લાયબ્રેરીમાં પહોંચી જવાનું એવું મિત્રો કહેતા.  હવે ૮૭ વરસની ઉંમરે  નેરુલથી  નિયમિત લાયબ્રેરીમાં જઈ શકતા નથી. એટલે ઘરે બેસીને તેમનું કામ કરે છે. હાલ તેઓ સાયલન્ટ ફિલ્મના ઈતિહાસના પુસ્તકનું કામ કરી રહ્યા છે. ભારતીય મૂંગી ફિલ્મો વિશે વીરચંદભાઈ એકમાત્ર માહિતીના આધારભૂત સ્ત્રોત છે એવું કહેવું અતિશયોક્તિ નથી. 

ડિસેમ્બરના રોજ તેમને  ફિલ્મ હેરિટેઝ ફાઉન્ડેશન તરફથી ભારતમાં બનેલી સાયલન્ટ ફિલ્મના ઈતિહાસ સંદર્ભે સંશોધન કરવા બદલ  લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ ગુલઝારના હાથે આપવામાં આવ્યો. ૮૭ વરસના વીરચંદ ધરમશી વિશે પણ સંશોધનાત્મક લખાણ થઈ શકે એવું વ્યાપક એમનું વ્યક્તિત્વ છે.  આટલી ઉંમરે પણ કલા પ્રત્યેની તેમની  જિજ્ઞાસા અને અભ્યાસમાં સહેજપણ ઓટ આવી નથી. આજે પણ તેઓ પોતાના સંશોધનના કામમાં સતત પ્રવૃત્ત રહે છે. મૂંગી ફિલ્મો વિશે સંશોધન કરવાનું કઈ રીતે સૂઝ્યું  સવાલના જવાબમાં વીરચંદભાઈ કહે છે કે મારો સ્વભાવ છે માહિતીઓને શોધવાનો, વાંચવાનો.  ફિલ્મો વિશે વાંચતાં જણાયું કે  ૧૯૪૫ની સાલ પહેલાંની ફિલ્મો વિશે સાચી માહિતી નથી. તેમાં પણ મૂંગી ફિલ્મો વિશે દાદાસાહેબ ફાળકે સિવાય બીજા નામોના ઉલ્લેખ નહોતા. મને વિશે સવાલો થયા અને તેના જવાબો શોધવા માટે મારે સંશોધન કરવું પડ્યું. અઘરું હતું કાળ વિશે જાણવું કારણ કે આપણે ત્યાં માહિતીને જાળવવાના પ્રયત્નો નથી થયા. ૧૮૯૫ની સાલથી ૧૯૩૦ની સાલ સુધીમાં આપણે ત્યાં ૧૩૦૦ મૂંગી ફિલ્મો બની હતી. તેમાંથી ફક્ત ત્રીસેક ફિલ્મો આપણને મળે છે. જાળવણીની કોઈએ પરવા કરી નથી. પહેલી ફિલ્મ ૧૯૧૨માં સાવિત્રી હતી જે નિષ્ફળ રહી. બીજી ફિલ્મ પુંડલિક હતી જે એન.જી ચિત્રે  દ્વારા બનાવવામાં આવી હતી તે માત્ર ૨૦ મિનિટની હતી. ત્યારબાદ ૧૯૧૩માં ફાળકે દ્વારા રાજા હરિશચંદ્ર અને મોહિની ભસ્માસુર રિલિઝ થઈ. 

વીરચંદભાઈએ મૂંગી ફિલ્મોની ફિલ્મોગ્રાફી પર ૮૦ના દાયકાથી કામ શરૂ કર્યું હતું. મૂંગી ફિલ્મોના એન્સાયક્લોપિડિયામાં પણ તેમનું  ખાસું પ્રદાન છે.  આર્કિયોલોજીનું ભણ્યા નથી પણ દુનિયાના અનેક આર્કિયોલોજીસ્ટો સાથે કામ કર્યું છે. એન્થ્રોપોલોજી હોય કે કળા-સાહિત્ય કે આર્કિયોલોજી દરેક વિષયમાં વીરચંદભાઈ પાસે વિસ્તૃત માહિતી અને વાંચન હોય .  આવું કેવી રીતે બને?   વિશે પણ થોડી માહિતી મેળવીએ. 

વીરચંદ ધરમશી મસાલાના વેપારી કલ્યાણજીભાઈના પુત્ર. તેઓ કદી કોલેજમાં ગયા નથી. મેટ્રિક ફેઈલ વીરચંદભાઈને ત્રણ વરસની ઉંમરથી વાંચવાનું ઘેલું.  સદનસીબે પિતાએ ક્યારેય તેમને વાંચતા ટોક્યા નહીં. વરસની ઉંમરથી મ્યુઝિયમ અને લાયબ્રેરીમાં જવું તેમને ગમતું. આર્કિયોલોજીકલ સર્વે પણ વાંચતા. પુસ્તકો ખરીદવાની શરૂઆત પણ ત્યારથી કરી હતી. શાળામાં જતાં પણ ગણિત અને વિજ્ઞાનમાં રસ પડતો નહીં, એટલે તેમાં નપાસ થતા. છેવટે નક્કી કર્યું કે હવે ભણવું નથી. જમાનામાં કમાવવા માટે ડિગ્રીની જરૂર નહોતી. પિતાજી દર મહિને એક ફિલ્મની ટિકિટ લઈ આપતા તે જોવાની કારણ કે હિન્દી ભાષા આવડે. સિવાય ફિલ્મ વિશે ત્યારે કોઈ સભાનતા નહીં.  ધંધામાં નુકસાન જવાને કારણે વેપાર પડી ભાંગ્યો અને પિતાજી પણ અવસાન પામતાં  એમણે કમાવવા માટે એક્સપોર્ટ ઈમ્પોર્ટની પેઢીમાં નોકરી કરી. દરમિયાન પણ વાંચવાનું અને કામ અંગે જે શહેરમાં જાય ત્યાં મ્યુઝિયમમાં અભ્યાસ માટે જવાનું ચાલુ રહ્યું.  

ફક્ત વાંચીને તેમણે જે જ્ઞાન મેળવ્યું તેને કારણે પીએચડીનો અભ્યાસ કરનાર આર્કિયોલોજીસ્ટોના સલાહકાર તરીકે કામ મેળવ્યા એટલે તેમણે નોકરી છોડી દીધી હતી. આમ પણ તેમને રિસર્ચના કામમાં જેટલો રસ પડતો હતો એટલો રસ અન્ય કામમાં નહોતો.   તેમના અભ્યાસ અને વાંચનને કારણે જાણીતા ફિલ્મ સર્જક સત્યજીત રે, સેનાકે બંડારનાયક શ્રીલંકન (આર્કિયોલોજીસ્ટ, હિસ્ટોરિઅન તેમજ ભારતના ભૂતપૂર્વ શ્રીલંકન હાઈકમિશનર ), જ્યોતિન્દ્ર જૈન (ઈન્ડિયન આર્ટ અને કલ્ચરલ હિસ્ટોરીઅન, મ્યુઝિયોલોજીસ્ટ) તેમના ખાસ મિત્રો બન્યા. પછી તો એવા મિત્રો બનતાં જે વાંચતા હોય રિસર્ચ કરતાં હોય. તેમને જે વિષયમાં રસ પડે તેમાં વાંચવાનું શરૂ કરે. ૧૯૬૫ની સાલથી હજુ બે ચાર વરસ પહેલાં સુધી એશિયાટિક લાયબ્રેરીમાં તેઓ આખો દિવસ વીતાવતાં. વીરચંદભાઈને મળવું હોય કે સંપર્ક કરવો હોય તો મિત્રો એશિયાટિક લાયબ્રેરીમાં પહોંચી જતા. પુસ્તકો તેમનો પહેલો પ્રેમ છે   તેમના પત્ની નવલબહેને સ્વીકારી લીધું હતું.  કોઈ ફરિયાદ વિના તેમણે ઘર સંભાળ્યું, બાળકો ઉછેર્યાં અને સુખદુખે વીરચંદભાઈને સાથ આપ્યો. દેશવિદેશના મિત્રો ઘરે મળવા આવે તો પ્રેમથી જમાડ્યા. 

ભારતના પ્રથમ આર્કિયોલોજિસ્ટ ભગવાનલાલ ઈન્દ્રજી પરનું તેમનું પુસ્તક માઈલસ્ટોન કહી શકાય. 

આર્કિયોલોજિ અને એન્થ્રોપોલોજિના એન્સાયક્લોપિડિયા જેવા વીરચંદભાઈ હવે  સાયલન્ટ ફિલ્મોના પણ એન્સાયક્લોપિડિયા બની ગયા છે એવું કહીએ તો અતિશયોક્તિ ગણાય. એમને અફસોસ હતો કે તેમણે જેટલું વાંચ્યું એટલું લખ્યું નહીં. તેઓ કહે છે કે હું જે રીતે વાત કરી શકું છું એટલી રસાળ રીતે લખી નથી શકતો એવી ગ્રંથિને કારણે લખ્યું નહીં. એટલે બીજાઓએ લખ્યું હોય તેમાં મારું ઈનપુટ હોય અને ક્યારેક એમાં મારા નામની  નોંધ લેવાય તો ક્યારેક પણ લેવાય. સાયલન્ટ ફિલ્મ વિશે કોઈ ઠોસ માહિતી નથી એટલે મેં તેની ફિલ્મોગ્રાફી કરવાનું શરૂ કર્યું. જો કે ત્યાં સુધીમાં તે ઈરાના માણસો રહ્યા નહીં. કશું નોંધાયું નહોતું એટલે માટી ખોદીને શહેર શોધવા જેટલું કામ અઘરું થયું. વળી હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો માણસ પણ નહીં એટલે મદદ પણ સહેલાઈથી મળે.  


તેમ છતાં જ્યાં જ્યાંથી માહિતી મળી તે તે ચકાસતાં ચકાસતાં આજે એમની પાસે મૂંગી ફિલ્મો વિશેની અપ્રગટ માહિતીનો ભંડાર એકત્રિત થયો. ફિલ્મો અને ખાસ કરીને મૂંગી ફિલ્મો વિશે જે કોઈએ માહિતી જોઈતી હોય એમણે વીરચંદભાઈ પાસે ગયા વગર છૂટકો નથી. આવી યોગ્ય વ્યક્તિનું સન્માન એકંદરે ખંત અને મહેનતનું સન્માન છે. વીરચંદભાઈને અનેક અભિનંદન.


બોક્સ 

  વીરચંદભાઈ સાથે વાત કરતાં જે કેટલીક રસપ્રદ વાતો જાણવા મળી તેમાંના કેટલાક અંશો-

દાદા સાહેબ ફાળકે(૪૩ ફિલ્મ), બાબુરાવ પેઈન્ટર(૨૨ ફિલ્મ),મદન (૮૫ ફિલ્મ) વગેરે સિવાય અનેક ગુજરાતીઓનું પ્રદાન  પણ મૂંગી ફિલ્મોના નિર્માણમાં હતું. દ્વારકાદાસ સંપટ(૧૧૩ ફિલ્મ) માણેકલાલ પટેલ(૭૩ ફિલ્મ),ભોગીલાલ દવે(૭૨ ફિલ્મ) ચંદુલાલ શાહ(૫૦ ફિલ્મ) અરદેશીર ઈરાની(૭૦ ફિલ્મ). 

૧૯૨૪માં પહેલી ઓરિએન્ટલ ફિલ્મ કોહિનુર ફિલ્મે  ગુલ બાકાવાલી બનાવાઈ જેને પ્રથમ પ્રોફેશનલ ડાયરેકટર કાનજી રાઠોડે ડિરેક્ટ કરી હતી. 

૧૯૩૦ની સાલમાં ભારતમાં કુલ ૧૯૨ ફિલ્મો બની હતી તેમાંથી ૧૧૦ ફિલ્મો મુંબઈમાં બની હતી. તેમાંથી ૭૯ ફિલ્મો રાજપુત બેકગ્રાઉન્ડ ધરાવતી કોસ્ચ્યુમ ફિલ્મો હતી.  

 

૧૯૩૧માં અરદેશીર ઈરાનીનીએ સૌ પ્રથમ બોલતી અને ગાતી ફિલ્મ આલમઆરા બનાવી હતી તો તેમણે ૧૯૩૭માં પ્રથમ કલર ફિલ્મ કિસાન કન્યા બનાવી હતી. 


ભારતમાં મૂંગી ફિલ્મોના ત્રીસ દાયકામાં અનેક નાના શહેરોમાં ફિલ્મ કંપનીઓ હતી. રાજકોટમાં પણ લગભગ ૧૯૨૩-૨૪માં સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની ફિલ્મો બનાવતી. પ્રભાશંકર પટ્ટણીના ભત્રીજા વજેશંકર અને ચંપકરાય પટ્ટણીએ તે સ્થાપી હતી. 

    






You Might Also Like

0 comments